શિવ પુરાણ ત્રંબકેશ્વર:-8 મહારાષ્ટ્ર પ્રેદશના નાશિક ક્ષેત્રમાં ગોદાવરી નદીને કિનારે પર્વત પર આવેલું છે.ત્યાંથી જ ગોદાવરી નદી પ્રકટ થાય છે.મધ્ય રેલવેની જે લાઈન અલાહાબાદથી મુંબઈ તરફ જાય છે, તે લાઈન પર મુંબઈથી અઢારમું સ્ટેશન નાશિક પંચવટી નામનું ગામ છે. ત્યાં મોટરોની સગવડ છે. નાસિક પંચવટીથી મોટરને રસ્તે અઢાર માઈલ દૂર ત્ર્યંબકેશ્વર ગામ આવેલું છે. તેની પાસે બ્રહ્મગિરિ પર્વત ઉપર ત્ર્યંબકેશ્વર નામનું જ્યોતિર્લિંગ વસેલું છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાનાં બાણ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના બાણ તરીકે ઓળખાય છે તેને જ ત્ર્યંબકેશ્વર કહે છે. આ સ્થાન ઘણું જ પ્રાચીન અને પવિત્ર છે. ઉત્તરમાં જેવી રીતે ગંગાજી ગણાય છે, તેવી જે રીતે દક્ષિણમાં ગોદાવરી ગંગા ગણાય છે. નાસિક- પંચવટીથી અઢાર માઈલે ત્ર્યંબક નામે ગામ છે અને ત્ર્યંબક નામનો પર્વત છે, જ્યાંથી ગોદાવરી પ્રગટ થાય છે. સિંહસ્થ ગુરુ વખતે મોટો મેળો ભરાય છે. ગૌતમઋષિનું અહિત થવાની કરેલી કામનાને પગલે ગૌતમઋષિથી ગૌહત્યા થઇ જતાં તેના પ્રાયશ્ચિતરૂપે તેમણે ગંગાજીને બ્રહ્મગિરિ લાવીને તેમાં સ્નાન કરી કોટિ પાર્થિવ શિવલિંગ બનાવી પૂજા કરી. શિવજીએ પ્...
Jai Ganesha Deva ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે? ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. આ વર્ષે શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત ૨ સપ્ટેમ્બર ૨૦૧૯ , ના રોજ મનાવવામાં આવશે, જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે...

Comments
Post a Comment